man in white shirt carrying baby in green and white shirt

નારાયણ સેવા

માનવી તેના રોજિંદા કાર્યો પર આધારિત જીવનચક્ર પ્રમાણે તેનું જીવન જીવે છે. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ- એ ચક્ર છે, જે જીવનમાં ચાલુ રહે છે ,તે આપણને જીવન પ્રત્યેનો સંપૂર્ણ અર્થ આપે છે, અને આપણે આ ચક્ર મુજબ જીવન માણવું પડશે. સામાજિક જીવનમાં સુખના દિવસો ખૂબ જ ઝડપથી આગળ વધી જાય છે. પરંતુ દુ:ખના દિવસો નિઃરસ અને કાળી રાત જેવા હોય છે. સગાંસંબંધીઓ અને કુટુંબીજનો પણ હંમેશા આપણાથી દૂર જતા જણાય છે. જીવન એકલું લાગે છે. વિધવા, વૃદ્ધો, વિકલાંગ લોકો વગેરે ને જીવન માટે આજીવવું વધુ મુશ્કેલ બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એકલી પડી જાય છે, તે શારીરિક અને માનસિક રીતે એટલી મજબૂત નથી, તે પોતે ભાગ્યે જ તેનું જીવન નિર્વાહ કરી શકે. અને ક્યારેક તે આમ કરવામાં નિષ્ફળ પણ જાય છે.
આવા સમયે, ઉચ્ચ સંસ્કારી પરિવાર સાથે જોડાયેલા, ઉચ્ચ સંસ્કારી વિચારો અને સારા પાત્રો ધરાવતા આત્માઓ, ચેરિટીના ભાગરૂપે, સાથે આવે છે, અને આવા નિઃસાય લોકોને મદદ કરે છે.
તેવી જ રીતે, "શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ વિજાપુર" આવા નિઃસાય પરિવારો કે જેઓ નિયમિત મુશ્કેલીઓનો સામનો કરે છે, તેમને જીવન નિર્વાહ ચલાવવા ચીજ વસ્તુ પૂરી પાડે છે.
આમ તેઓને સ્વસ્થ જીવન માટે જરૂરી ગોળ, મસાલા, અનાજ વગેરે ખાદ્યપદાર્થો આપીને "નારાયણ સેવા" ની જ્યોત પ્રગટાવે છે.

આવો, આપણે આપણા હૃદયના તળિયેથી પરિવારોને મદદ કરવાના આ કાર્યમાં સાથ આપીએ.

એક વ્યક્તિ દીઠ રાશન કીટ : રૂ. ૨૮૦૦.૦૦ (માસિક)

ઇન્કમટેક્ષ ધારા ૮૦ જી હેઠળ દાન સ્વિકારવા માં આવે છે.